૨૧મી જુન: વિશ્વ યોગ દિવસ વિશેષ
૨૧મી જુન: વિશ્વ યોગ દિવસ વિશેષ વિશ્વ યોગ દિવસ 2024 અંતર્ગત આવો જાણીએ બાળકો માટે યોગનું શું છે મહત્વ? બાળકને યોગ તરફ વાળવું એ બાળક માટે જીવનભરની એક અમુલ્ય ભેટ બની શકે છે. બાળકોને યોગનો અભ્યાસ કરાવવાથી નકારાત્મક માનસિક અસરો ઓછી અથવા સદંતર નાબૂદ થાય છે. નવસારી, તા૧૯: ભારતીય ઋષિમુનીઓએ પ્રાચીન કાળથી જ યોગને સર્વશ્રેષ્ઠ અને સર્વરોગની જડીબુટ્ટી ગણાવી છે. યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ભારતના ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં દર્શાવેલા યોગનું મહત્વ આજે જન-જને જાણ્યું છે. આ ઝડપી અને આધુનિક યુગમાં દરેક લોકો યોગ તરફ વળ્યા છે. યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેનાથી તેમને ખૂબ લાભ મળે છે, જે જીવનભર કામ આવે છે. અત્યારના સમયમાં બાળકોમાં મોટા પ્રમાણમાં મેદસ્વીતા (ઓબેસિટી) જોવા મળે છે. જંક ફૂડ, પેકેટ ફૂડ અને બહારના ખોરાકનું વધારે પડતું સેવન તેનું મુખ્ય કારણ છે. વળી આજકાલના બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. તેઓ પોતાનો વધારે સમય ટીવી,