નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ

    

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ

*

ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં નવસારીના કલકેટરશ્રી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા

**

સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું

**

સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા

 * 

 (નવસારી: મંગળવાર) રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે ગણદેવી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધનોરી ગામે ૧૦મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા ઊપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે  કલેકટરશ્રીએ સેવા સેતુના વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલ સેવાઓનો તાગ મેળવ્યો હતો સાથે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો કર્યા હતા . 

       ધનોરી  ગામે  આયોજિત ગણદેવી  તાલુકાના  સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ૨૫ ગામોના  લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે . આ સેવા સેતુમાં ભારત તથા ગુજરાત સરકારના ૧૩ વિભાગની કુલ ૫૫  સેવા જેવી કે  આધાર કાર્ડ, આવકનો દાખલો, ૭/૧૨ અને ૮ – અ ના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવી રહ્યા છે . 

 આજ રોજ સેવાસેતુમાં આવેલ ચાંગા ગામના લાભાર્થી  દિપાલી ભરતભાઇ  પટેલ એ જણાવ્યું કે , મારે રેશન કાર્ડ માં સુધારો કરવાનું હતું જે ઘણા સમય થી બાકી હતું પરંતુ આજરોજ મારા ઘર આંગણે જ સેવા સેતુનો કાર્યક્રમ હોવાથી મારી અરજીનો નિકાલ ઘર બેઠા  થયેલ છે. અને મારે કચેરી સુધી જવું પડ્યું નથી તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું .   

        આ કાર્યક્રમમાં ગણદેવી  તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રશાંત ચંદ્રવદન શાહ,ચીખલી  પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ  , ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી  મહેશ પી.વિરાણી , ગણદેવી મામલતદારશ્રી જગદીશ એન.ચૌધરી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ , લાભાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 






 

Comments

Popular posts from this blog

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

Navsari District|Taluka chikhli|khergam|Vansda|Navsari|Jalalpor|Gandevi |Villages |નવસારી જિલ્લાનાં ચીખલી, ખેરગામ, વાંસદા, નવસારી, જલાલપોર,અને ગણદેવી તાલુકાના ગામો.