નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District

  નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District

ઉત્તરમાં સુરત જીલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો, અને પશ્ચિમમાં અરબિયન સમુદ્રની નજીક નવસારી શહેર આવ્યુ છે, જેનો ઇતિહાસ ખૂબજ સમૃદ્ધ છે. નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી “પૂર્ણા” નદી પ્રવેશે છે. અહિ, પુર્ણા નદીની લંબાઇ 36 કિમી છે. નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતા આ પ્રદેશ પર ચાલુક્યા રાજવંશ (વવશાજ-લાત શાખા) નુ શાસન હતું. આ વંશમાં “અવનીજશાહ પુલકેશી રાજા” શાસન કરતો હતો જેણે “નવ સારિકા” ના પલ્લકેશી રાજા (રાજા) પર જીત હાંસલ કરી, જેણે અરેબિયન આર્મીને હરાવ્યો હતો. આ ચાલુક્ય શાસન ઇ.સ.740 સુધી ચાલુ રહ્યુ હોવાનું જાણવા મળે છે.

તે સમયે શીલા દ્રિતિય ગુરુ નાવધાર હાલના નાગ તલાવડી વિસ્તારમાં રોકાયા હતા. આ વિસ્તારને કારણે, તે “નાગ મંડળ” તરીકે પ્રસિદ્ધ બન્યું અને ધીમે ધીમે સમય પસાર થતાં જ આ જિલ્લાનું નામ “નવસારી” આવ્યું. ઇ.સ.૮૨૫ માં શ્રમિત્રી માર્ગ પર, મહાન સ્થાપનાકાર સૈયદ નિરુદિન ઉફેરુ, સૈયદ સદાત નવસારીના લુન્સીકુઇ વિસ્તારમાં રોકાયા. તેમના ચમત્કારો આજુબાજુના ગામડાઓમાં જાણીતા છે, તેઓ “આલિત્યા” કે જેને મહાન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે, નવસારીની ખ્યાતિમાં વધારો થયો છે, એવો લેખ ઉપલબ્ધ છે.આજે “અલીયાસ” ખ્યાતિની નિશાની તરીકે આજે પણ લિનકીકુઈ વિસ્તારમાં રોજો, મસ્જિદ અને હઝ મેરી હોમ્સ આવેલા છે. અગાવ ઉલ્લેખ કર્યો પ્રમાણે “નવસારી” પહેલા “નાગ મંડળ” તરીકે જાણીતુ હતુ. “નવસારી” નામ પહેલા શહેર વિવિધ નામે જેમકે નાગવર્ધન, નાગશાહી, નાગશરાલા, નવસારેહ, નાગમંડળ અને પારસીપુરી જેવા નામે જાણીતુ હતુ એવા હસ્તલેખ ઉપલબ્ધ છે. તે સમયનુ નવસારીનુ હવામાન ખુબ સારુ હોવાને કારણે પારસી લોકો સૌથી પહેલા નવસારીમા આવ્યા હત્તા અને તેના લીધે જ નવસારી ને “પારસીપુરી” તરીકે પણ ઓડખવામાં આવે છે.

આ બધામાં ખાસ જાણવા મળે છે કે ૧૮ મી સદીના બીજા દસકામાં સોનગઢ થી નવસારી જુનાથણા મરાઠાઓનું શાસન સ્થાપવામાં આવ્યું હતું. ઇ.સ.૧૮૯૮ માં નવસારી જેલ, પોલીસ સ્ટેશન, સયાજીબાગ, ટાઉનહોલ, લાઇબ્રેરી, હોસ્પિટલ્સ, શાકભાજી અને માછલી બજાર, વહીવટી ઓફિસો અને ઐતિહાસિક ઇમારતો અસ્તિત્વમાં આવી.

સિટી ટાવરની પૂર્વમાં મુધુ-મિત્મા પાશ્વનાથનું દેરાસર આવેલું છે, જે દર્શાવે છે કે નવમી સદીમાં નવસારી જૈન ધર્મનું મુખ્ય (મોટું) કેન્દ્ર હોઈ શકે છે. એક મંદિરમાં સનાત અને જૈનની વસ્તી સાથે પટવા શેરીમાં “બ્રહ્માજી” ની એક સુંદર મૂર્તિ છે. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે.

પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.

નવસારીની ઉત્તરે અમરશાંતિ નદિને કિનારે એક ટાવર આવેલું છે. જે નુસેરવાનજી રતનજી ટાટાએ તેમની માતા કેવલાબાઈ ની યાદ બાંધવામાં આવ્યું હતું જે 1877-78 સુધીનુ સૌથી ઊંચું ટાવર હતુ. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને ઉદ્યોગપતિઓના નેતા, શેઠ જમશેતજી નુસરવાનજી ટાટા આ શહેરમાં જન્મ્યા હતા. દસ્તૂરવાડી વિસ્તારમા આવેલુ એ ઘરકે જ્યા તેનો જન્મ થયો હતો તે આજે પણ તેની વાસ્તવિક સ્થિતિમાં જાળવવામાં આવ્યુ છે. દાદાભાઈ નવરોજી, જેમણે પ્રથમ વાર પુર્ણ સ્વરાજની માંગણી કરી હતી તે અહિ જન્મ્યા હતા. તેમના જન્મનું ઘર આજે પણ દસ્તુરવાડમાં છે.

જમશેદજી જીજાબઈ અને મહારાષ્ટ્રના પ્રખ્યાત ડ્રામા નિષ્ણાત બાલ ગણેશ ગડકરીનો જન્મ નવસારીમાં થયો હતો. શહેરના દક્ષિણી વિસ્તારમાં “દુધિયા” તળાવ, તેના પશ્ચિમમાં “રામ તટારી” છે, ત્યાં બગીચાઓ વચ્ચે આશાપુરી માતાનું મંદિર આવેલુ છે. તથા “જ્યુબિલી” બગીચો અને “મફતલાલ” પાર્ક પન આવેલુ છે. દાંડી સત્યાગ્રહ દરમિયાન (ઇ.સ.1930) માનનીય, મહાત્મા ગાંધીજીએ અહિ રાત્રી રોકાણ કર્યૂ હતુ. તથા જે માર્ગથી તે પસાર થયા હતા તેને “મહાત્મા ગાંધી રોડ” તરીકે ઓળખવામાં આવે છે. 

જોવાલાયક સ્થળો: 

દાંડી : 

તાલુકા મથકથી ૧૯ કિ.મીટરના અંતરે સમુદ્રર તટે વસેલું આ ગામ મહાત્મા ગાંધીજીના મીઠાના ઐતિહાસીક સતાગ્રહ માટે જાણીતું છે. આ ઐતિહાસિક દાંડી ખાતે સાગર નજીક ગાંધી સ્મારક કિર્તી સ્તંભ અહીં સ્થાપવામા આવેલ છે. સ્મારકની સામે ”સૈફવિલા” છે જયાં રાત્રી દરમ્‍યાન ગાંધીજીએ નિવાસ કર્યો હતૉ હાલ તેમાં ગાંધી સંગ્રહાલા અને પુસ્‍તકાલય છે. ગાંધી સંગ્રહાલાની પાછળ દાઉદી વૉરાની પ્રખ્‍યાત દરગાહ માઈ સાહેબા મઝાર ( હિઝબે યુસુફી) છે. જયાં માનતા માટે સર્વ કૉમનાં લૉકૉ બહારથી પણ આવે છે. 

ઉનાઇ માતા(વાંસદા તાલુકો)

બીલીમૉરા-વધઈ રેલ્વે માર્ગ પર આવેલુ આ ગામ ઉના પાણીના કુંડૉ માટે જાણીતું છે.ગરમ પાણીના આ કુંડૉ ધણા પુરાણા છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણૉ મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણૉને યજ્ઞૉ કરવા માટે બૉલાવવામા આવ્‍યા તે બ્રાહમણૉને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનૉ ગરમ પ્રવાહ ઉત્પન્ન્‍ા કર્યો. ઉપરાંત બીજી લૉકાકૃતિ મુજબ વનવાસ ભૉગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમા શરભંગ રૂષીના આશ્રમમાં આવ્‍યા ત્‍યારે ઋષીએ યોગ બળથી પૉતાનું દૂર્ગધયુકત ખૉળિયું બદલું તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ઘાન ઋષીના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દાર્યુ. મહારૉગથી વ્‍યથિત ઋષીની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુકત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ મૂર્તિ પ્રગટ થઈ સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકિત રૂપે અહીં વસવાટ કર્યો વળી સીતાજી આ જગામા સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશ ભર્યા શબ્દૉથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લૉકૉ દર્શનાર્થે આવે છે.

જાનકી વન (વાંસદા) 

આ વનનું સંચાલન ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વન પર્યાવરણ-સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ-ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન દ્વારા ૬૬માં રાજય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧પ.૬૬ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા રાજયના ૧૨મા સાંસ્કૃતિક વન તરીકે જાનકી વનનું લોક-સમર્પણ બીજી ઓગસ્ટ,૨૦૧૫ના દિવસે કરવામાં આવ્યું હતું. આ વન ચીખલી-સાપુતારા રાજય ધોરી માર્ગ પર ઉનાઇ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર, આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા પણ આવેલ છે. 

કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ડાંગ જિલ્લા સાથેની ઉત્તર સીમા પર બીલીમોરા અને સાપુતારાને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ વાંસદાથી ૧૬ કિ.મી.અંતરે તેમ જ વઘઇથી ૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ કીલાદ ગામ ખાતે કુદ૨તી નૈસર્ગિક સૌદર્ય ધરાવતું સ્થળ છે.

કીલાડ નેચર ટુરીઝમ સેન્ટર |Keelad Nature Tourism Centre :

અંબિકા નદીના કિનારા પર આવેલ આ સ્થળને ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ઘણા વર્ષથી વિકસાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે સુંદ૨ આયોજન ક૨વામાં આવ્યું છે. આ સ્થળનો વધુ વિકાસ થાય અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ વધુ સમય ફાળવે તે હકીકતને ઘ્યાનમાં લઈ આ સ્થળ પસંદ કરવામાં આવેલ છે. આ કેન્દ્રની દક્ષિ‍ણે/પુર્વે આશરે દોઢ કિ.મી.ના અંતરે અંબિકા નદીના ઉપરવાસમાં આવેલ ગીરા ધોધ આવેલ છે, જ્યાં નદીના કિનારે કિનારે થઈ સામાન્ય ઋતુમાં જઈ શકાય છે. આ સ્થળની પુર્વમાં અંબિકા નદીના સામે કાંઠે વનસ્પતિ ઉધાન આવેલ છે.

અહીં આવતા સહેલાણીઓ માટે ૨હેવાની વ્યવસ્થા વાંસ-લાકડામાંથી બનાવેલ ઝુંપડીઓ(વુડન હટ) તેમ જ પાકા આવાસો તૈયા૨ ક૨વામાં આવેલ છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગોઠવવામાં આવતા પ્રવાસોને ઘ્યાનમાં લઈ જુથમાં ૨હેવા માટે તંબુની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. સાથો સાથ બાળકોને વન-ઔષધિ તેમજ વનસ્‍પતિ સબંધી જ્ઞાન મળી ૨હે તે માટે પ્રદર્શનો ૫ણ ગોઠવવામાં આવેલ છે. આ સ્થળનો નદી કિનારો પણ રમણીય છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજન માટેની વ્યવસ્થા ૫ણ છે. બારેમાસ લીલી વનરાજીથી ઘેરાયેલ આ સ્થળની વારંવા૨ મુલાકાત લેવાનું મન થાય તેવું વિકસિત સ્થળ છે. 

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જેમાં અંબિકા નદીના કિનારે આવેલાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન |Vansda National Park

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીને કિનારે સ્થિત છે જે લગભગ ૨૪ ચો. કિમી વિસ્તારમાં પથરાયેલો છે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા ચિખલીથી આશરે ૬૫ કિમી પૂર્વે તથા વલસાડથી લગભગ ૮૦ કિ.મી.નાં અંતરે આવેલો છે. વાંસદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે, તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે, જ્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે. વાંસદા-વઘઇ રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ દિશાની સીમા પાસેથી પસાર થાય છે, અને એટલું જ નહી, વઘઇ અને બીલીમોરાને જોડતી સરા લાઇન તરિકે ઓળખાતી નેરો ગેજ રેલ્વે લાઇન પણ આ ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે.

ઇ. સ. ૧૯૭૯માં રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલા આ સુરક્ષિત વિસ્તારમાં મહદ્ અંશે પાનખરનાં જંગલો આવેલાં છે, જેમાં સ્થાનિક ભાષામાં "કટસ" તરિકે ઓળખાતા વાંસનાં વનો આવેલાં છે, જે તેની શોભા વધારે છે અને અહીં ઇ. સ. ૧૯૫૨થી એક પણ વૃક્ષનું પતન થયું નથી. સહ્યાદ્રિ પર્વતમાળાનાં પશ્ચિમ ઘાટમાં પથરાયેલી આ વનરાજીમાં પ્રાણી અને વનસ્પતિ જગત (ફ્લોરા-Flora અને ફોના-Fauna)ની અલાયદી જ વિવિધતા જોવા મળે છે.

વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક આદિવાસી પ્રજા (અને તેમની રહેણી કરણી), ગિરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્રો છે. આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે.

અજમલગઢ (ઘોડમાળ - વાંસદા તાલુકો) : 

અજમલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે. અહીં બે મંદિરો (શિવમંદિર અને રામમંદિર) તથા પારસી સ્થાનક (સ્મૃતિ-સ્તંભ) પણ આવેલ છે. ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે પણ ઘેરાયેલું હોવાને કારણે રમણીય છે. અહીંથી પશ્ચિમ દિશામાં કેલિયા બંધનું જળાશય નજરે પડે છે. હાલમાં આ ડુંગરની ટોચ સુધી નાનાં વાહન (જીપ) દ્વારા પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવેલ છે.

આસપાસના વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ વ્યૂહાત્મક સ્થળ પહેલાંના સમયનો ઇતિહાસ ધરાવે છે. જૂના સમયમાં શિવાજીના લશ્કરના સરદારો મહારાષ્ટ્રથી સુરત આવવાના સમયે લશ્કરી દૃષ્ટિએ મહત્વના આ વ્યૂહાત્મક સ્થળે રોકાણ કરતા હોવાનો ઇતિહાસ છે. આ ઉપરાંત અહીં પારસીઓના આતશ બહેરામ (પવિત્ર અગ્નિ) પણ અહીં રાખવામાં આવ્યો હોવાનો પણ ઇતિહાસ છે.

પારસીઓ પોતાના ધર્મની રક્ષા અર્થે ઈરાનથી ભારત દેશમાં ગુજરાતના સંજાણ બંદર ખાતે ઉતર્યા હતા અને રાજા જાદીરાણાનાં રાજયમાં આશરો લીધો હતો. પવિત્ર અગ્નિની સ્થાપના બાદ સમય જતાં શાસન બદલાતાં સંજાણથી થોડે દૂર બહારોટના પહાડ ઉપર પવિત્ર અગ્નિ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ કટોકતી સર્જાતા પવિત્ર અગ્નિ અહીં અજમલગઢ પહાડ ઉપર વાંસદાના તે સમયના રાજા કિર્તી દેવે આશરો આપ્યો હતો. અહીં પારસીઓના આતશ બહેરામને ઈ.સ. ૧૪૦૫ થી ૧૪૪૮ દરમિયાન (૧૪ વર્ષ સુધી) રાખવામાં આવ્યો હતો. હાલમાં આ સ્થળે તેની પવિત્ર યાદગીરી રૂપે ૨૧ ફૂટ ઊંંચા સ્મૃતિ-સ્તંભની સ્થાપના કરવામાં આવેલ છે.

માહિતી સ્રોત : નવસારી જિલ્લા પંચાયત વેબસાઇટ | વિકિપીડિયા

Comments

Popular posts from this blog

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

Navsari District|Taluka chikhli|khergam|Vansda|Navsari|Jalalpor|Gandevi |Villages |નવસારી જિલ્લાનાં ચીખલી, ખેરગામ, વાંસદા, નવસારી, જલાલપોર,અને ગણદેવી તાલુકાના ગામો.